- 2 Posts
- 1 Comment
હિન્દ -પાક આતંક
આજના આધુનિક યુગ માં આતંકવાદ આખા વિશ્વ માટે માથા નો દુ:ખાવો બની ગયો છે.
આજે હું અહિંયા ઇંડિયા-પાકિસ્તાન બૉર્ડર પર જે પ્રકાર ની હિંસક ગતિવિધિ ચાલી રહી છે. આની પાછડ કોનો હાથ છે. તેનો વિસ્તારપૂર્વક વર્ણન કરવા માંગુ છું.
૧૯૪૭ માં હિન્દુસ્તાન માં બ્રિટિશ ગવર્નમેંટ નો શાસન સમાપ્ત થયું ને ભારત માં લોકશાહી ની શુરુઆત થઈ પણ ઍના સાથે પાકિસ્તાન નુ જનમ થયું અને ઍક નવા આતંકવાદ યુગ ની શુરુઆત થયી જે દિવસે ની દિવસે વધતી ગયી. ત્યાર પછી ૧૯૬૫-૧૯૭૧ માં બે વખત વૉર પણ થયી. તેમાંય હિન્દુસ્તાન ની જીત થઈ. બબ્બે વખત હાર્યા પછી પણ ઈ લોકો સુધર્યા નથી.
પંજાબ અને કાશ્મીર ના બૉર્ડર પર અવાર નવાર આતંકી હુમલા થતા રહે છે. જે આજ સુધી બંધ નથી થયા.
આ હુમલા કોણ કરાવે છે, શા માટે કરાવે છે? હિન્દુસ્તાન ની શાંતિ ભંગ કરવા થી કોને કયા પ્રકાર નો લાભ થાય છે. ધ્યાન થી વાંચજો દરેક હિન્દુસ્તાની ને અવગત કરવા માંગુ છું.
ઇતિહાસ ગવાહ છે હિન્દુસ્તાન ઉપર બાબર,સિકંદર જેવા અનેક લૂંટારુઓેઍ અનેક વખત હુમલા કર્યા,કારણ કે હિન્દુસ્તાન માં અઢડક ધન ના ભંડાર હતા. અંગ્રેજો પણ ભારત ની ખનિજ મિલકતો ઉપર આકર્ષાયા હતા,અને ડિવાઇડ ઍન્ડ રૂલ ની પૉલિસી થી ૨૦૦ વર્ષ સુધી રાજ કરવા માં કામયાબ રહ્યા હતા.
આજે હિન્દુસ્તાન ની જનસંખ્યા ૧૩૦ કરોડ થી વધારે છે. આ મોટી જનસંખ્યા ચાઇના થી લઈ અમેરિકા સુધીના બધા મોટા પાયાના બિજ઼્નેસમેન ને આકર્ષિત કરે છે.
ભારત ખેતીપ્રધાન દેશ છે. જે દેશો માં ખેતી ઓછી થાય છે ઍવા મુલ્કો ની અનાજ પુર્તિ કરે છે.
માણસ ખાવા માટે વેજ અને નોન્વેજ પર નિર્ભર હોય છે. નોન્વેજ બનાવા માટે પણ વેજિટેબલ અને મસાલાઓ ની જરૂર પડે છે.
ઍટલે જે મુલ્કો નોન્વેજ ઉપર આધારિત છે. ઈ મુલ્કો ને ભારત વેજિટેબલ અને મસાલાઓ ની પુર્તિ કરે છે.
હિન્દુસ્તાની ઇંડસ્ટ્રીસ માં જે પ્રોડકશન થાય છે. ઉદા. કેમિકલ,ડિટરજેંટ, પેઈન્ટ,સૅનિટરી,ઈલેક્ટ્રોનિક,ઑટોમોબાઇલ,ઈલેક્ટ્રીકલ,ફાર્મા અને ઘણું બધું જે પણ તૈયાર થાય ઍના માટે ૮૦% રૉ મેટીરિયલ વિદેશો માં થી આવે છે.
અગ્રીકલ્ચર પ્રૉડક્ટ સસ્તા છે. અને ઇંડસ્ટ્રિયલ રૉ મેટીરિયલ મોંઘુ છે. ઍટલે હિન્દુસ્તાની વેપારીયો ખેતી માં થી ઍટલો કમાવી નથી શકતા જેટલો વિદેશી કંપનિજ હિન્દુસ્તાન માં થી કમાય છે.
ઑટોમોબાઈલ ઇંડસ્ટ્રીસ માં બહુ મોટી કંપનીઑ હિન્દુસ્તાન માં છે. જે બહુ સારી ફોર વ્હીલેર બનાવે છે.
પણ કાર નુ બ્રૈઈન ઍટલે ઍંજિન જર્મન,ફ્રૅન્સ,સુદાન અને અન્ય મોટી વિદેશી કંટ્રીજ઼ નો નાખે છે.
શોર્ટકટ માં ઍક વાત આજે પણ અમારા દેશ થી વિદેશી મુલ્કો બહુ પૈસો કમાય છે.
(ઍમ.ઍન.સી)મલ્ટી નૅશનલ કંપનીજ હિન્દુસ્તાન થી માલ લઈને બીજા મુલ્કો ને વેચી ને કમાય અન હિન્દુસ્તાન ને ક્રૂડ ઓઈલ,અને ઑધ્યોગિક રૉ મેટીરિયલ વેંચી ને કમાય છે.
સ્ટૉક માર્કેટ,ઍમ સી ઍક્સ,ઍન સી ડેક્સ,માં રોજ દસ લાખ કરોડ થી વધુ નો લે વેંચ થાય છે. જેમા ઍફ આઇ આઇ નો સૌથી મોટો રોકાણ કરેલ છે . વિદેશી રોકાણકારો રોજાના ઘણું મુનાફો કમાય છે.
૧૯૮૫ નાં સમય માં અમેરિકા સાથે હિન્દુસ્તાન નાં સંબંધ સારા નૉ હતા. રશિયાઍ આ વાતનો ઘણો ગેરફાયદો લીધો હતો.
ઍ સમય માં ચાઇના અને હિન્દુસ્તાન લડાકુ હથિયાર બનાવવા માટે સેલ્ફ ડિપેંડ થવા માંગતા હતા.
રશિયા આ વાત ઈચ્છતો ના હતો.રશિયન ગવર્નમેન્ટે બન્ને મુલ્કો ને પોતાના આધુનિક હથિયાર બનાવવા ની ના પાડી.
ચીને તેમની વાત ના માની. ભારત સરકારે તેમની વાત માની લીધી.
આજે પરિણામ આપણી સામે છે.
ચાઇના હથિયારોં ના મામલે સેલ્ફ ડિપેંડ છે ને આપણા વડા પ્રધાન દેશ ની રક્ષા માટે લેટેસ્ટ હથિયારો ની ખરીદ માટે વિદેશો ના આંટા ફેરા કરે છે.
ઈંડો-પાક વૉર
કોઈ ઍવો અઠવાડિયો નથી જ્યારે ઍલ.ઑ.સી પર આતંકી હમ્લો ના થયો હોય.
દરેક હમ્લા માં ક્યારે પાક આર્મી તો ક્યારે કોઈ આતંકી સંગઠન નો નામ જાહેર થાય છે.
દરેક હમ્લા માં લાખોં રૂપિયાં ની બંદુકો ગોળીયો બરબાદ થાય છે. હવે તમે વિચાર કરો દર મહિને લાખો રૂપિયા ની બરબાદી કરવા થી પાક આર્મી અને બીજા પાકિસ્તાની આતંકી સંગઠનો ને શું ફાયદો થાય છે.
પાક આર્મી અને બીજા પાક આતંકી સંગઠનો ને સારી રીતે ખબર છે કે કાશ્મીર ક્યારે પણ તેમને નહિં મણે. તો પછી શું કામ હમ્લા કરાવે છે.
દુનિયા ની નજર માં પાક પોતાની દુશ્મની કાઢે છે.
અંદરખાને વાત જૂદી છે. વિદેશી વ્હાઈટ કૉલર ઇન્વેસ્ટર્સ હિન્દુસ્તાન માં હમ્લા કરવા માટે પાકિસ્તાન આર્મી અને આતંકી સંગઠનો ને દરેક હમ્લા માટે હથિયાર અને ઍક કરોડ રૂપિયા આપે છે.
વિદેશી ઇન્વેસ્ટર્સ દર રોજ હમ્લા કરાવી હિન્દુસ્તાની પબ્લિક,આર્મી અને સરકાર ને ઉશ્કેરવા માંગે છે.
૯૩ ના સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થી ૨૬-૧૧ જેવા બહુ મોટા અટૅક પાકિસ્તાને કર્યા પણ હિન્દુસ્તાની સરકાર હજુ સુધી ઉશ્કેરાયી નથી.
વાજપાયી સરકાર ના સમયે કારગિલ નો યુદ્ધ થયો હતો. કારગિલ ના યુદ્ધ પછી ઈંડો-પાક વાર ની તૈયારીયો શરૂ થઈ હતી પણ લડાઈ નહીં થઈ.
હિન્દુસ્તાન ના શહેરો માં અનેક પ્રકાર ના બોમ્બ બ્લાસ્ટ કરાવી, તાજમહાલ જેવી ઐતિહાસિક હોટલ ઉપર ૬૦ કલાક સુધી આતંકી હમ્લો કરાવી પાક આર્મી અને આતંકી સંગઠનો ઍ ભારત સરકાર ને વૉર માટે ઉશ્કેરવાની બહુ કોશિશ કરી પણ હિન્દુસ્તાની સરકાર ધૈર્ય થી કામ લેવા માંગે છે.
પાકિસ્તાને આટલા વર્ષો થી ભારત ને દુનિયા ભર ના જખમ આપ્યા છે. હવે છેલ્લા ૩ વર્ષ માં પાકિસ્તાને હિન્દુસ્તાની આર્મી ના શહીદો ના શવ સાથે બદસલૂકી કરી છે. હવે પાકિસ્તાન ઇંડિયન આર્મી ને ઉશ્કેરવા માંગે છે.
પાકિસ્તાન ઇંડિયન આર્મી ને પોતાના જેવું સમજે છે. પાક આર્મી પાક ગવર્નમેન્ટ ના કંટ્રોલ માં નથી પણ ઇંડિયન આર્મી ઇંડિયન ગવર્નમેંટ ના આદેશ અનુસાર કામ કરે છે.
મોટા વિદેશી ઇન્વેસ્ટર્સ ઇંડિયા પાકિસ્તાન વચ્ચે લડાઈ કરાવી ખબજો રૂપિયા કમાવવા ઈચ્છે છે.
કારણ કે જ્યારે લડાઈ શરૂ થશે તો ૪-૬ મહિના સુધી તો હાલશે. ઈ સમય માં ખાવા-પીવા થી લઈને દરેક ઘર વપરાશ ની વસ્તુ ઘણીમોંઘી થઈ જાય છે.
ઍક નાનકડુ ઉદાહરણ હિન્દુસ્તાન ખેતી પ્રધાન દેશ છે તો પણ દર વર્ષે પ્યાજ અને ટામેટા ૧૦ થી લઈને ૧૦૦ સુધી પહૂંચી જાય છે.
પ્યાજ અને ટામેટા ની ઉપજ ઓછી નથી. પણ બ્લૅકમાર્કેટિંગ ના લીધે ૧૦ ની વસ્તુ ૧૦૦ ના ભાવે લેવી પડે છે.
તો તમે હિસાબ લગાવો અત્યારે લડાઈ જેવુ કાંઈ નથી તો પણ આપણે ૧૦ ગણા વધારે ભાવ થી શાકભાજી લેવી પડે છે. તો જ્યારે લડાઈ શરૂ થશે ત્યારે શું હાલ થશે.
વિદેશી ઇન્વેસ્ટર્સ/સ્મગ્લર્સ ઈંડો-પાક વચ્ચે લડાઈ કરાવી ખબજો રૂપિયા કમાવવા ઈચ્છે છે.
વૉર ના સમયે હિન્દુસ્તાન અને પાકિસ્તાન માં આયાત નિર્યાત બંધ થઈ જશે.
૧-શેર માર્કેટ માં ૧૦૦૦ રૂપિયા નો શેર ૫૦-૧૦૦ નો થઈ જશે. ત્યારે શોર્ટ કરીને અનલિમિટેડ પૈસા કમાવી શકાય છે.
૨-જે દેશો હિન્દુસ્તાન થી અગ્રિકલ્ચર પ્રૉડક્ટ્સ લઇને પોતાનું કામ ચલાવે છે તે દેશો ને અગ્રિકલ્ચર આઇટમ્સ ૫- ૧૦ ગુના વધારા માં વેંચી ને ખબજો રૂપિયા કમાઈ શકે છે.
૩-હિન્દુસ્તાન અને પાકિસ્તાન ની હથિયારો વેંચી ખબજો કમાઈ શકે છે.
૪-ઇંડિયન સ્ટૉક માર્કેટ માં જ્યારે લોવર સર્કિટ લાગે છે ત્યારે વર્લ્ડ ની ટોચ ની માર્કેટ્સ પણ ડાઉન થયી જાય છે. ઍમાં પણ શોર્ટ કરીને ઇન્વેસ્ટર્સ ખબજો રૂપિયા કમાયે છે.
ભારત સરકાર પાકિસ્તાન અને બીજા વિદેશી વ્યાપારીઓ ની આડ માં છુપાયેલા સ્મગ્લર્સ અને આતંકવાદિયો ને સબક સિખાવવા માંગે છે. ઍ માટે આપણા વડાપ્રધાન ની કોશિશ ચાલુ છે.
વૉર માટે સૌથી પહેલા રિજ઼ર્વેશનની જરૂર છે.
૧-ઓઈલ રિજ઼ર્વેશન
૨-ફુડ રિજ઼ર્વેશન
અત્યારે આપણા દેશ માં ૧૨-૧૩% રિજ઼ર્વેશન નો બંદોબસ્ત છે. આટલા ઓછા રિજ઼ર્વેશન માં વૉર પૉસિબૅલ નથી. આપણા વડાપ્રધાન લેટેસ્ટ ટેક્નાલજી થી ભરપુર વિમાન અને ઘણું બધું જે વૉર માટે જરૂરી છે. ઍના બંદોબસ્ત માટે તૈયારી કરી રહ્યા છે.
પાકિસ્તાન માં ચારે બાજુ અંધારો છે. ઍમની હરકતો થી ક્યારે પણ અજવાડુ નહિં થશે.
આપણા હિન્દુસ્તાન માં અજવાડો છે. કોઈ પણ હસ્તી ની તાકાત નથી હિન્દુસ્તાન માં અંધારુ કરી શકે.
(ગુરમીતસિંઘ ખાલસા)
Read Comments